બિહારમાં ભયાનક અકસ્માત, હાઈવે પર ઉભેલા કન્ટેનર સાથે સ્કોર્પિયો અથડાઈ; 7 લોકોના મોત

બિહારમાં ભયાનક અકસ્માત, હાઈવે પર ઉભેલા કન્ટેનર સાથે સ્કોર્પિયો અથડાઈ; 7 લોકોના  મોત

બિહારના રોહતાસ જિલ્લાના શિવસાગરમાં હાઈવે પર એક મોટો રોડ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં સ્કોર્પિયો ગાડીમાં સવાર સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમામ મૃતકો કૈમુરના કુડારી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. આ ઘટનામાં ચાર લોકોને ગંભીર ઈજ્જા થઇ છે.

કારમાં કુલ 12 લોકો સવાર

મળતી માહિતી મુજબ, તમામ લોકો ઝારખંડના રાંચીથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં વાહનનો ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું. અને હાઈવે પર પાર્ક કરેલી ટ્રકમાં પાછળથી સીધી સ્કોર્પિયો અથડાઈ હતી. આ કારમાં કુલ 12 લોકો સવાર હતા.

એક જ પરિવારના સાત લોકોના મોત 

સુદેશ્વર શર્માનાં પત્ની રાજમુની દેવી (50), પુત્રી પ્રેમલતા (35) અને પુત્ર રવિનંદનકુમાર (30)નું અવસાન થયું છે. તે જ સમયે, આદિત્ય કુમારના 12 વર્ષના પિતા અરવિંદ શર્માનું પણ અવસાન થયું છે. આ અકસ્માતમાં 16 વર્ષના કિશોર અને 5 વર્ષના બાળકનું પણ મોત થયું છે. સુદ્ધેશ્વર શર્મા ગંભીર રીતે ઘાયલ છે. અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના મોત નિપજતાં પરિવાર ગામમાં શોકની લાગણી ફેલાઇ છે.

Share: