કોરોના સંકટમાં કોંગ્રસના નેતાઓનુ વર્તન જોઈને દુખ થાય છેઃ ભાજપ અધ્યક્ષનો સોનિયા ગાંધીને પત્ર

કોરોના સંકટમાં કોંગ્રસના નેતાઓનુ વર્તન જોઈને દુખ થાય છેઃ ભાજપ અધ્યક્ષનો સોનિયા ગાંધીને પત્ર

નવી દિલ્હી,તા.11.મે.2021

કોરોનાના સંક્રમણ વચ્ચે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો આક્ષેપ અને પ્રત્યાક્ષેપનો સીલસીલો અટકી રહ્યો નથી.

સોમવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા પાર્ટીની એક બેઠક બોલાવવામાં આવી હતી.જેના પર હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સોનિયા ગાંધીને એક પત્ર લખીને અત્યારે રાજકારણ નહીં કરવાની સલાહ આપી છે.નડ્ડાએ કહ્યુ છે કે, હાલના સંકટમાં કોંગ્રેસનુ આચરણ જોઈને દુખ થાય છે પણ તેનુ આશ્ચર્ય નથી.તમારી પાર્ટીના કેટલાક નેતાઓ લોકોની મદદ કરવાનુ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે પણ બીજા કેટલા સિનિયર નેતાઓની નકારાત્મકતાના કારણે  તેમની મહેનત પર પાણી ફરી વળે છે.

નડ્ડાએ પત્રમાં લખ્યુ છે કે, એક તરફ જ્યાં ભારત કોવિડ સામે ઝઝૂમી રહ્યુ છે ત્યારે કોંગ્રેસના આગેવાનો લોકોને ખોટી જાણકારી આપીને લોકોમાં ડર ઉભો કરી રહ્યા છે.જે રાજ્યોમાં ભાજપની સરકારો છે ત્યાં ગરીબ અને વંચિત વર્ગના લોકોની મદદ કરવા માટે વિના મુલ્યે વેક્સીન આપવાની જાહેરાત કરાઈ છે.શું કોંગ્રેસ જે રાજ્યોમાં સરકારમાં છે ત્યાં ગરીબોને આ રીતે મફત વેક્સીન આપવામાં આવશે?

ઉલ્લેખનીય છે કે, સોમવારે પાર્ટીની કાર્યસમિતિની બેઠકમાં સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો અને સરકાર કોરોનાની સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ ગઈ હોવાનો આરોપ પણ મુક્યો હતો.

Share: