કોરોનનો કહેર યથાવત, રાજ્યમાં આજે 2640 નવા કેસ, 11 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 4539

કોરોનનો કહેર યથાવત, રાજ્યમાં આજે 2640 નવા કેસ, 11 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 4539

ગાંધીનગર, 2 એપ્રિલ 2021 શુક્રવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અને હવે નાના શહેરો અને ગામડામાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસ સંક્રમિત થઇ રહ્યા છે, આજે રાજ્યમાં રેકોર્ડ 2640  કેસ નોંધાયા છે.  જ્યારે વધુ 11 દર્દીઓનું કોરોના સંક્રમણથી મોત થયું છે. જ્યારે રાજ્યમાં આજે 2066 દર્દીઓએ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,94,650 લોકો કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ હાલ 13559 છે. જેમાંથી 158 લોકો વેન્ટિલેટર પર અને 13401 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.21 ટકા છે. 

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં અમદાવાદ કોર્પોરેશનમાં 621, સુરત કોર્પોરેશનમાં 506, વડોદરા કોર્પોરેશનમાં 322, રાજકોટ  કોર્પોરેશનમાં 262, સુરત 138, વડોદરા 53, રાજકોટ 45, ભાવનગર કોર્પોરેશન-43, મહેસાણા-43, પાટણ 42,  મહીસાગર-38, જામનગર કોર્પોરેશન -33,  ખેડા-32, બનાસકાંઠા 30, ગાંધીનગર 29, જામનગર 27, પંચમહાલ 27, ગાંધીનગર કોર્પોરેશન 26, કચ્છ 25, દાહોદ 24, નર્મદા 23, આણંદ 22,  મોરબી-22,  અમરેલી-21,  વલસાડ-21, સુરેન્દ્રનગર-19,  ભાવનગરમાં 17, સાબરકાંઠા 17, ભરૂચ 16 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 11 કોરોના દર્દીઓ મોતને ભેટ્યા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, ભરૂચ 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 4539 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ કુલ 57,75,904 લોકોને વેક્સિનનો પ્રથમ અને 7,30,124 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 65,06,028 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,51,802 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. 

Share: