સુપ્રીમ કોર્ટે સરકારને લોકડાઉન અંગે વિચરવા કહ્યું, કોવિડ ટાસ્કફોર્સના સભ્યોએ પણ સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી

સુપ્રીમ કોર્ટે સરકારને લોકડાઉન અંગે વિચરવા કહ્યું, કોવિડ ટાસ્કફોર્સના સભ્યોએ પણ સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી

નવી દલ્હી, તા. 3 મે 2021, સોમવાર

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કાબૂમાં લેવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉન પર વિચાર કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે સરકારોને કહ્યું કે તેઓ લોક કલ્યાણ માટે બીજી લહેર પર કાબૂ મેળવવા માટે લોકડાઉન લગાવવા પર વિચાર કરે. કોર્ટે સરકારને એવું પણ કહ્યું કે લોકડાઉન લગાવ્યા પહેલા એ પણ સુનિશ્ચિત કરવામાં આવે કે લોકડાઉનની આર્થિક અને સામાજિક અસર કેટલી પડશે. સાથે જે લોકો પર લોકડાઉનની અસર પડશે તેમના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે.

કોરોના વાયરસની બીજી લહેરની ગંભીર સ્થિતિને ધ્યાને લઇને સુપ્રીમ કોર્ટે જાતે સંજ્ઞાન લઇને કહ્યું કે જો કોઇ દર્દી પાસે જે તે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશનું સ્થાનાય ઓળખ પ્તર કે આઇડી પ્રૂફ ના હોય તો પણ તેને હોસ્પિટલમાં સારવાર મળવી જોઇએ. તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનીઅને જરુરી દવા આપવાની ના પાડી શકાય નહીં. 

તો આ તરફ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા પણ સરકારને લોકડાઉન લાગુ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ પત્ર લખીને કેન્દ્ર સરકારને કહ્યું છેકે કોરોના વાયરસની ચેન તોડવા માટે લોકડાઉન જરુરી છે. બીજી લહેરની ગંભીરતીને જોતા દેશમાં 15 દિવસના સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી છે. કોવિડ ટાસ્ક ફોર્સના આ સભ્યો એક અઠવાડિયાથી લોકડાઉન લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. 

ત્યારે કેન્દ્ર સરકાર લોકડાઉન અંગે કદાચ આજે નિર્ણય કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કોવિડ ટાસ્ક ફોર્સમાં એઇમ્સ અને આઇસીએમઆરના સભ્યો સામેલ છે. નિષ્ણાંતોનું માનવું છે કે અત્યારે જે મૃત્યુઆંક છે તેને ઓછો કરવા માટે ચેન તોડવી જરુરી છે.

Share: