સરકાર કોરોના વેક્સીન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર પરનો જીએસટી ઘટાડે તેવી શક્યતા

સરકાર કોરોના વેક્સીન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર પરનો જીએસટી ઘટાડે તેવી શક્યતા

નવી દિલ્હી,તા.19 મે 2020,બુઘવાર

કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે ભારતમાં વેક્સીનેશન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. કોરોનાની રસીની અછતને નિવારવા માટે સરકાર હવે વિદેશી વેક્સીનને પણ ઓપન માર્કેટમાં વેચવા માટે છુટ આપી રહી છે.

આ રસીની કિંમતો ઘટાડી શકાય તે માટે હવે સરકારે તેના પરનો જીએસટી ઓછો કરવા માટે વિચારણા શરુ કરી છે. શુક્રવારે જીએસટી કમિટીની બેઠક બોલાવવામાં આવી છે અને એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે આ બેઠકમાં કોરોના વેક્સીન પરનો જીએસટી ઘટાડવા માટે ચર્ચા થઈ શકે છે.

હાલમાં વેક્સીન પર પાંચ ટકા જીએસટી છે.જે ઘટાડીને 0.5 ટકા કરવામાં આવે તેવી સંભાવના છે. આ સિવાય સરકાર વેક્સીનની ઈનપુટ કોસ્ટમાં પણ રાહત આપવાનુ વિચારી રહી છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર પર પણ જીએસટી ઘટાડવામાં આવે તેવુ મનાઈ રહ્યુ છે.

હાલમાં ભારતમાં ત્રણ રસીને મંજૂરી મળેલી છે.  જેમાં રશિયાની સ્પુતનિક વીનો સમાવેશ થાય છે. બાકીની બે વેક્સીન ભારતમાં બની રહી છે. આ પૈકી સ્પુતનિક વીની કિમત 948 રુપિયા છે. જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલો કોવિશિલ્ડ માટે તમામ ચાર્જ ગણીને 800 થી 900 રુપિયા વસુલી રહી છે. કો-વેક્સિન માટે પ્રાઈવેટ હોસ્પિટલો 1500 થી 2000 રુપિયા ચાર્જ કરી રહી છે.

Share: