વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બંગાળમાં ચૂંટણી અભિયાનનો શંખનાદ કરશે, અભિનેતા મિથુન ચક્રવર્તી પણ જોડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બંગાળમાં ચૂંટણી અભિયાનનો શંખનાદ કરશે, અભિનેતા મિથુન ચક્રવર્તી પણ જોડાશે

કોલકાતા, તા. 7 માર્ચ 2021, રવિવાર

પશ્ચિમ બંગાળના હાઇ વોલ્ટેજ ચૂંટણી ડ્રામાની શરાત થઇ ગઇ છે. અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ત્યાં ભાજપ અને ટીએમસી વચ્ચે સીધો જંગ છે. સત્તાધારી ટીએમસી સામે પોતાની સત્તા બચાવવાની ચેલેન્જ છે, તો ભાજપને પશ્ચિમ બંગાળમાં પોતાનો ડંકો વગાડવાનો છે. તેવામાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ત્યાં ચૂંટચણી પ્રચાર જોર પકડી રહયો છે.

આ જ કડીમાં આજે પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે પહોંચી રહ્યા છે. નરેન્દ્ર મોદી કોલકાતાના બ્રિગડ ગ્રાઉન્ડમાં જે બપોરે બે વાગ્યે એક રેલીને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ રેલીને ભગવા દળ દ્વારા શરુ કરવામાં આવેલી પરિવર્તન યાત્રાનો સમાપન કાર્યક્રમ પણ ગણવામાં આવી રહ્યો છે.

આ રેલીની ખાસ વાત એ છે કે આ વડાપ્રધાનની આ રેલીની અંદર બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ સામેલ થવાના છે. ભાજપના એક નેતાએ જણાવ્યું કે વડાપ્રધાન બ્રિગેડ પરેડમાં આજે આ રેલી સાથે જ બંગાળના ચૂંટણી અભિયાનનો શંખનાદ કરશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં ભાજપનો આ પહેલો મોટો કાર્યક્રમ છે.

વડાપ્રધાનની આ રેલી દરમિયાન ભાજપના એનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી વચ્ચે મુલાકાત થઇ હતી. ત્યારબાદ આજે મિથુન વડાપ્રધાન સાથે સ્ટેજ પર દેખાશે.

Share: