દેશમાં 95 %થી વધારે રિકવરી રેટ, છેલ્લા 24 કલાકમાં 3303 કોરોના દર્દીઓના મોત

દેશમાં 95 %થી વધારે રિકવરી રેટ, છેલ્લા 24 કલાકમાં 3303 કોરોના દર્દીઓના મોત

– દેશમાં હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 10,26,159 જેટલી

નવી દિલ્હી, તા. 13 જૂન, 2021, રવિવાર

દેશમાં કોરોનાની બીજી લહેર દમ તોડી રહી છે અને ભારતમાં સતત છઠ્ઠા દિવસે કોવિડ-19ના 1 લાખ કરતા ઓછા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં નવા 80,000 કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન કોરોનાના કારણે 3,300 કરતા વધારે દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 10 લાખ 26 હજાર જેટલી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાના દર્દીઓના સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ 95.26 ટકાએ પહોંચી ગયો છે. મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 80,834 નવા કેસ સામે આવ્યા છે જે 71 દિવસમાં સૌથી ઓછા છે. જ્યારે આ દરમિયાન કોરોનાના 1.32 લાખ દર્દીઓ સાજા/રિકવર થયા છે. 

ગત મહિનાથી જ દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે અને સાથે જ દર્દીઓના સાજા થવાના દર એટલે કે રિકવરી રેટમાં પણ ઝડપથી વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 13 જૂન, 2021ના રોજ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 80,834 નવા કેસ સામે આવ્યા છે અને તે દરમિયાન 3,303 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમયમાં જ 1,32,062 દર્દીઓ સાજા થયા છે. દેશમાં હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 10,26,159 જેટલી છે. 

Share: