દેશમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 3.15 લાખથી પણ વધારે કેસ, 2100થી વધારે લોકોના મોત

દેશમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 3.15 લાખથી પણ વધારે કેસ, 2100થી વધારે લોકોના મોત


– ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,59,24,806 થઈ ગઈ

નવી દિલ્હી, તા. 22 એપ્રિલ, 2021, ગુરૂવાર

કોરોના સંક્રમણની બેકાબૂ રફ્તાર અટકવાનું નામ જ નથી લઈ રહી. ભારતમાં છેલ્લા અનેક દિવસથી રેકોર્ડ સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3.15 લાખથી વધારે વર્લ્ડ રેકોર્ડ સમાન નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત સતત બીજા દિવસે પણ મૃતકઆંક ઉંચો ગયો છે. 

તાજેતરના અહેવાલ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 2,100થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં દરરોજ ખૂબ જ ઝડપથી વધી રહેલો એક્ટિવ કેસનો આંકડો ખૂબ જ ચિંતાજનક છે. ભારતમાં સતત વધી રહેલા પોઝિટિવ કેસની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

રાષ્ટ્રીય સ્તરે સાજા થવાનો દર ઘટીને 85.01 ટકા થઈ ગયો છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કુલ 3,15,728 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,59,24,806 થઈ ગઈ છે. 

Share: